ભારત સરકારે કેનેડા સ્થિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાના ઠેકાણા વિશે કેનેડાની સરકારને જાણ કરી છે અને તેની ધરપકડ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે NI ભારતમાં દલ્લા વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ કરી રહી છે. તે ઘણા કેસમાં વોન્ટેડ છે. ભારતીય એજન્સીઓએ તેને ભાગેડુ જાહેર કર્યો હતો.
ભારતીય એજન્સીઓએ કેનેડા સરકારને કેટલાક ફોટોગ્રાફ્સ સાથે તેની કાર અને વર્તમાન સરનામા વિશે ચોક્કસ માહિતી આપી છે. “NIAએ ગૃહ મંત્રાલય દ્વારા વિદેશ મંત્રાલય (MEA) નો સંપર્ક કર્યો,” સૂત્રએ જણાવ્યું. “આ પછી, કેનેડા સરકારનો દિલ્હીમાં એમ્બેસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને દલ્લાની અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું.”
સૂત્રએ કહ્યું કે નક્કર પુરાવા આપવા છતાં કેનેડાની સરકાર દ્વારા અર્શ દલ્લા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેનેડિયન એમ્બેસીને મોકલવામાં આવેલ પ્રશ્નનો પણ કોઈ જવાબ મળ્યો નથી.
2020 સુધીમાં, દલ્લા પંજાબ સ્થિત ગેંગસ્ટરો સાથે કામ કરી રહ્યો હતો. બાદમાં તે કેનેડા ગયો જ્યાં તેણે KTF ચીફ હરદીપ સિંહ નિજ્જર સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેણે નિજ્જર માટે આતંકવાદી મોડ્યુલ ચલાવવાનું શરૂ કર્યું.
આપને જણાવી દઈએ કે આતંકવાદી નિજ્જરને ગત વર્ષે 18 જૂનના રોજ ગુરુદ્વારાના પરિસરમાં અજાણ્યા હુમલાખોરોએ મારી નાખ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગત વર્ષે 9 જાન્યુઆરીએ દલ્લાને જઘન્ય અપરાધોમાં સંડોવણી મળ્યા બાદ તેને આતંકવાદી જાહેર કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “આતંકવાદી ગતિવિધિઓ સિવાય દલ્લા હત્યા, ખંડણી અને ટાર્ગેટ કિલિંગ જેવા જઘન્ય અપરાધોમાં સામેલ છે. આતંકવાદીઓને આર્થિક મદદ કરવાની સાથે તે પાકિસ્તાનમાંથી મોટા પાયે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં પણ સામેલ છે.” નિજ્જરની હત્યા બાદ, દલ્લા કેટીએફની તમામ કામગીરી સંભાળી રહ્યો છે. તે ભારતમાં કેટલીક વધુ હત્યાઓ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
દલ્લા ભારતમાં તેની કામગીરી ચાલુ રાખે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પંજાબના મોગામાં કોંગ્રેસના નેતા બલજિંદર સિંહ બલ્લીને તેમના બે સહયોગીઓ સાથે તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બલ્લીની હત્યાના કલાકો પછી, મોગાના દલા ગામના રહેવાસી દલ્લાએ ફેસબુક પર તેની જવાબદારી લીધી.
આ પણ વાંચો:કલયુગી પુત્રએ પિતાની હત્યા કરી ઘરમાં જ દાટ્યો મૃતદેહ, આ રીતે થયો ખુલાસો
આ પણ વાંચો:‘આ પોલીસ અધિકારીને મારી સુરક્ષામાંથી હટાવો’, કેજરીવાલે કેમ કહ્યું?
આ પણ વાંચો:કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો, વહેલી સુનાવણીની માગ કરી
આ પણ વાંચો:દિલ્હીમાં ‘આપ’ ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે