Bollywood/ કંગનાની ઓફિસમાં તોડફોડ પાછળ BMCનો ખોટો ઈરાદો, નુકસાની ભરપાઈ કરવી પડશે, કંગનાને પણ ટિપ્પણી માટે સંયમ રાખવો પડશે : બોમ્બે હાઈકોર્ટ

તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત અને બીએમસી વિવાદ પર કંગનાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે બીએમસીએ ખોટી ઇરાદાથી અભિનેત્રીની મુંબઇ ઓફિસમાં તોડફોડ કરી છે.

Top Stories Entertainment
a 223 કંગનાની ઓફિસમાં તોડફોડ પાછળ BMCનો ખોટો ઈરાદો, નુકસાની ભરપાઈ કરવી પડશે, કંગનાને પણ ટિપ્પણી માટે સંયમ રાખવો પડશે : બોમ્બે હાઈકોર્ટ

તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત અને બીએમસી વિવાદ પર કંગનાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે બીએમસીએ ખોટી ઇરાદાથી અભિનેત્રીની મુંબઇ ઓફિસમાં તોડફોડ કરી છે. એટલું જ નહીં BMC એ કંગના રાનાઉતની ઓફિસમાં તોડફોડ માટે નુકસાન ચૂકવવું પડશે. હાઈકોર્ટે કંગનાની ઓફિસને આ નુકસાનની આકારણી કરવા આદેશ આપ્યો છે, આ અંગે અધિકારીઓ માર્ચ 2021 સુધીમાં કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. બાદમાં હાઈકોર્ટ નુકસાનની ભરપાઈ માટે એજન્સીના રિપોર્ટ અંગે નિર્ણય લેશે.

ન્યાયાધીશ એસ.જે. કૈથવાલા અને આર.આઇ. છગલાની ખંડપીઠે આ કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે, આ ખંડણી જે રીતે અનધિકૃત હતી. આ ખોટા ઇરાદાથી કરવામાં આવ્યું હતું. અરજદારને કાનૂની મદદ લેતા અટકાવવાનો આ પ્રયાસ હતો. કોર્ટે બીએમસીની ગેરકાયદેસર બાંધકામ અંગેની નોટિસને પણ રદ કરી દીધી હતી.આ કેસ જોતા એવું લાગે છે કે ટ્વીટ્સ અને નિવેદનો માટે અભિનેત્રીને ખોટી રીતે નિશાન બનાવવાના ઇરાદે તોડફોડની કાર્યવાહી કરવામાં આવી છે.

કંગનાને પણ આ સલાહ આપી હતી

બોમ્બે હાઈકોર્ટે અરજદાર એટલે કે કંગનાને જાહેર મંચ ઉપર મંતવ્યો મૂકવામાં સંયમ રાખવા કહ્યું હતું. પરંતુ એમ પણ કહ્યું હતું કે રાજ્ય દ્વારા નાગરિકને કરેલી બેજવાબદાર ટિપ્પણીઓને અવગણવામાં આવશે. નાગરિકની આવી ગેરવાજબી ટિપ્પણીઓ માટે, રાજ્ય આવી કોઈ કાર્યવાહી કાયદા અનુસાર થઈ શકતી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…