નીચે જણાવ્યા મુજબ ડાયેટ ટિપ્સ ફોલો કરવું, દરરોજ 30 મિનિટ ની એક્સરસાઇઝ વજન ઉતારવા માટે બેસ્ટ ઉપાય છે
ઘણી બધી વખત આપણે વેઈટ લોસ કરવા માટે ઘણા ઉપાયો કરતા હોઈએ છે અને બીજી ટિપ્સ લેતા હોઈએ છે. તેના થી વજન ઉતરી પણ જાય છે અને ત્યાર બાદ અપડે એને કોન્ટ્રોલ માં રાખવું પડે છે. એમાં આપણે એવી દેશી ટિપ્સ આપીએ છે કે વજન ઉતરી જાય પછી વધવા દેતું નથી. આ માટે તમારે તમારા ડાયેટ માં થોડો ચેન્જ લઇ આવવો પડશે. ગમે તે ડાયેટ ફોલો કરીએ પણ આખા દિવસ ની15 મિનિટ એક્સરસાઇઝ કરવાની અને 15 મિનિટ ચાલવું પડે.
અજમો,કાળીજીરી, આમળા અને વરીયાળી નો મિક્સ પાવડર સવારે બ્રશ કર્યા બાદ લેવાનો. અડધી કે એક ચમચી લઇ શકાય. શરૂઆતમાં મોમાં ચાંદા પડે તો ડોઝ ઘટાડીને લો અથવા આંતરા દિવસે લેવો.
સવારે નાસ્તા માં લાઈટ વેઈટ ખોરાક લેવો જેમ કે ગ્રીન વેજિટેબલે સૂપ, સલાડ, છાસ, ઘઉં ની બ્રેડ, ઢોસા, ઉપમા જેવા પચવામાં હળવા અને પેટ પણ ભરાય જાય છે.
હમેશા યાદ રાખવું કે તમારા શરીર નો બેસ્ટ ઉપાય નેચરલ હવા છે, બીજા નંબર ઉપર પાણી આવે અને ત્રીજા નંબર ઉપર સાચો ખોરાક આવે. અને છેલ્લે તમારું સ્વસ્થ શરીર માટે તમારે અનુલોમ વિલોમ, પ્રાણાયામ, ઊંડા અને લાંબા શ્વાસ લેવું અને નાડી શુદ્ધિની પ્રક્રિયા કરવી.
જમ્યા પછી એક વસ્તુ નું ધ્યાન રાખવું કે જમ્યા પછી તરત સુઈ ના જવું તેના અડધો કલાક સુદી બેસો અથવા વજ્રાસન માં બેસો તેના થી પાચન માટે ખુબજ જરૂરી છે. અને વજ્રાસન માં ઓછામાં ઓછું તમારે 5 મિનિટ બેસવું અથવા તો તમારી કૅપેસિટી મુજબ બેસવું.
અને હવે ખાસ જમવા માં ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે એક સાથે બધું ભોજન જમવું નહીં દાળભાત ખાતા હોવ તો શાક રોટલી ના ખાવું , ચીઝ પનીર ની આઈટમ ના ખાવી , અને રાતના સમયે હળવો ખોરાક લેવો. એટલું ધ્યાન રાખશો તો તમારું શરીર વધશે નહીં અને કંટ્રોલ માં રહેશે.