આગ/ ગાઝિયાબાદના મોલમાં લાગી ભીષણ આગ,700 લોકોને બચાવાયા

દિવાળીના એક દિવસ બાદ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્દિરાપુરમના આદિત્ય મોલમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના મોલના પહેલા માળે બની હતી. ફાયર વિભાગને આ આગની માહિતી મળતાની સાથે જ. રાહત અને બચાવ કામગીરી માટે ટીમો રવાના કરવામાં આવી હતી. અગ્નિશામકોએ મોટી સંખ્યામાં […]

Top Stories India
9 4 ગાઝિયાબાદના મોલમાં લાગી ભીષણ આગ,700 લોકોને બચાવાયા

દિવાળીના એક દિવસ બાદ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્દિરાપુરમના આદિત્ય મોલમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના મોલના પહેલા માળે બની હતી. ફાયર વિભાગને આ આગની માહિતી મળતાની સાથે જ. રાહત અને બચાવ કામગીરી માટે ટીમો રવાના કરવામાં આવી હતી. અગ્નિશામકોએ મોટી સંખ્યામાં લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું કહેવાય છે.

ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આદિત્ય મેગા મોલમાં આગની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ચાર ઓડીમાં સિનેમા જોઈ રહેલા 500 જેટલા દર્શકો અને 150 કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ દરમિયાન વીજ કરંટ લાગવાથી લિફ્ટમાં ફસાયેલા એક જ પરિવારના પાંચ લોકો કોઈક રીતે ગેટ ખોલીને બહાર નીકળ્યા હતા. આગના કારણે મોલમાં ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી જાનમાલના નુકસાનની કોઈ માહિતી મળી નથી.