Pakistan/ ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા

તાજેતરની ઘટનામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના લીડર મસૂદ અઝહરના નજીકના ગણાતા મૌલાના રહીમુલ્લા તારિકનું મોત થયું છે.

Top Stories World
YouTube Thumbnail 36 ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા

પાકિસ્તાનમાં એક પછી એક ભારતના દુશ્મનો ઢેર થઈ રહ્યા છે. તાજેતરની ઘટનામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના લીડર મસૂદ અઝહરના નજીકના ગણાતા મૌલાના રહીમુલ્લા તારિકનું મોત થયું છે. મૌલાના ભારત વિરુદ્ધ એક રેલીમાં ઝેર ફૂંકવા જઈ રહ્યા હતા, તે દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેમને ગોળી મારી દીધી હતી.

મૌલાના રહીમુલ્લાહ મસૂદ અઝહરની નજીક હતો અને તે અવારનવાર ભારત વિરુદ્ધ નિવેદનો આપતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે કરાચીના ઓરંગી શહેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે શેકાઈ ગયો હતો. પાકિસ્તાનમાં આ વર્ષની શરૂઆતથી જ ટાર્ગેટ કિલિંગ ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 12 દુશ્મનોને અજાણ્યા હુમલાખોરોએ મારી નાખ્યા છે.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કરાચીના ઓરંગી ટાઉનમાં આયોજિત ભારત વિરોધી રેલીમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન મૌલાના રહીમુલ્લાહ પણ આ જ સભામાં સામેલ થવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક અજાણ્યા હુમલાખોરોએ મૌલાના રહીમુલ્લાહ પર ગોળીબાર કર્યો હતો. આ મામલાની માહિતી આપતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કહ્યું કે ફાયરિંગમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ મૌલાના રહીમુલ્લાહ તારિક તરીકે થઈ છે. તે એક ધાર્મિક સભામાં ભાગ લેવા જઈ રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા લોકોએ તેના પર ગોળીબાર કર્યો. આ સાથે પોલીસનું કહેવું છે કે આ ઘટના ટાર્ગેટ કિલિંગ તરફ ઈશારો કરે છે.


whatsapp ad White Font big size 2 4 ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા


આ પણ વાંચો: સગીર વિદ્યાર્થીએ 8 વર્ષની બાળકીના મોંઢે સેલોટેપ મારી, હાથ બાંધી બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો: અમદાવાદને ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કર્યુઃ પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો

આ પણ વાંચો:સોમાલિયામાં ભારે વરસાદે તબાહી મચાવી, વિનાશક પૂરમાં 31 લોકોના મોત