વડાપ્રધાન મોદીની જન્મ ભૂમિ એટલે વડનગર.આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન મોદીના ગઢમાં ગાબડું પડયું છે,વડાપ્રધાનના માદરે વતન વડનગર તાલુકા પંચાયતની મોલીપુર સીટ પર AAPની એન્ટ્રી થઈ છે. આપના નજરભાઈ ગુડાળ 300 મતે વિજયી થયા છે. મહેસાણાના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના મત વિસ્તારમાં ગાબડું પડ્યું છે. બહુચરાજી અને જોટાના તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો છે. ભરતજીના વતન વિરસોડા-રામપુરામાં પણ ભાજપ જીત્યું છે. બહુચરાજી અને જોટાના જિલ્લા પંચાયતની બેઠક પણ ભાજપે છીનવી છે.ઊંઝા નગરપાલિકાની ચૂંટણીનું મતગણતરી પૂર્ણ થઈ છે. પાલિકામાં ભાજપની જીત થઈ છે. 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપની 19 બેઠકો પર જીત થઈ છે. જ્યારે 15 બેઠકો પર અપક્ષોની કામદાર પેનલના લોકો જીત્યા છે. જ્યારે 2 બેઠકો પર અપક્ષની જીત થઈ છે.
મતગણતરી / અમે તો ગ્યાતા…મતગણતરી જાણવા મેળામાં, સોશિયલ ડિસ્ટન્સ વિસર્યા રે, રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલની બહાર ઉમટી ભીડ
કડી પાલિકાની ચૂંટણીમા ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 36 માંથી 35 પર ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે.વર્ષ 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતીકડી વોર્ડ નંબર 2ની ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 2માં 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર બેની પેનલ વિજય થઈ છે. કડી નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. તો નગરપાલિકાના વોર્ડ નંબર 4ની ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જ્યારે બે ઉમેદવારો બિનહરીફ આવ્યાં હતાં અને બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જ્યારે સામે આપનાં ઉમેદવારની હાર થઈ છે.
ચૂંટણી પરિણામ / Live Update: પાટણ જીલ્લા અને તાલુકામાં લહેરાયો ભાજપનો ભગવો
મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો વિજય થયો છે. કમલેશભાઈ જાની, સંજય બ્રહ્મભટ્ટ, સોજલીયા પ્રેમીલા, બેન, રાજબા દરબાર વિજેતા થયા છે. વોર્ડ નંબર 4માં કુલ 10 ઉમેદવારો વચ્ચે હરિફાઈ હતી.તો મહેસાણા મત ગણતરી કેન્દ્રની બહાર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે પોલીસે સ્થિતિને કાબુમાં લીધી હતી. મતગણતરી કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 2માં 4 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર 2000 કરતા વધુ મતોથી વિજયી થયા છે.
Suicide / પતિએ દહેજમાં બાઈક માગ્યું, સાસરિયાઓએ કહ્યું જીવે છે શું કામ ? અમદાવાદમાં વધુ એક પરણિતાની આત્મહત્યા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…