જો શેરબજારમાં તેજી અને મંદી તમને પરેશાન કરે છે, તો તમારે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પૈસા કમાવવાની સારી તક છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરવા વિશે વધારે નથી જાણતા, તેમના માટે રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે. રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યો અનુસાર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પસંદ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે પીએસયુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરવાની યોજના) એ રોકાણકારોને ત્રણ મહિનામાં ઉત્તમ વળતર આપ્યું છે. તે 27.29 ટકા રહ્યો છે. સાથે જ તમને જણાવી દઈએ કે એફડી પર માત્ર 5 ટકા વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોના નાણાં શક્ય તેટલી ઝડપથી બમણા થઈ જશે.
જે લોકો શેર બજારમાં રોકાણ કરવા વિશે વધારે નથી જાણતા, તેમના માટે રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે. રોકાણકારો તેમના નાણાકીય લક્ષ્યો અનુસાર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પસંદ કરી શકે છે.
છેલ્લા ત્રણ મહિનામાં, આદિત્ય બિરલા સન લાઇફ પીએસયુ ઇક્વિટી ફંડે 31.39% વળતર આપ્યું છે. આ વળતર ત્રણ મહિનામાં 21.86 ટકા છે. એક વર્ષનું વળતર 5.80 ટકા છે. એસબીઆઈ પીએસયુ ફંડે 24.07%, 6 મહિનામાં 15% વળતર આપ્યું છે.
PSU ફંડ એવી કંપનીમાં રોકાણ કરે છે જેમા કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માલિકીનીનો હક હોય. કેટલીક મોટી અને જાણીતી PSU કંપનીઓમાં ભારતીય સ્ટેટ બેંક, ઓએનજીસી, એનટીપીસી વગેરેનો સમાવેશ થાય છે.
એસબીઆઇ એક વર્ષમાં એફડી પર 5% વળતર આપી રહ્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 7 દિવસથી 45 દિવસમાં પાકતી એફડી પર 2.9% વ્યાજ ચૂકવે છે. 1 વર્ષથી 2 વર્ષ સુધીની પાકતી એફડીમાં 5% વળતર મળી રહ્યું છે.
2-3 વર્ષની એફડી પર 5.10 ટકા અને 3 વર્ષમાં 5 વર્ષના મિડ ટર્મ એફડી પર 5.30 ટકા વ્યાજ આપે છે. 5 વર્ષમાં 10 વર્ષના લાંબા ટર્મ એફડી પર 5.40 ટકા વ્યાજ મળી રહ્યુ છે.
એચડીએફસી બેંક તેના ગ્રાહકોને 7 થી 14 દિવસ અને 15 થી 29 દિવસમાં પાકતી એફડી પર 2.5% વ્યાજ આપે છે, જ્યારે, 1 વર્ષથી 2 વર્ષમાં પાકતી એફડી 4.. 4.%, બે વર્ષથી ત્રણ વર્ષની, એફડી પર 5.15% 3 વર્ષથી 5 વર્ષની એફડી પર 5.30 30 ટકા અને 5 વર્ષથી 10 વર્ષની વચ્ચે લોન્ગ ટર્મ એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે.