CBIને તપાસ દરમિયાન મુઝફ્ફરપુર સ્મશાનઘાટમાંથી લગભગ 11 યુવતીઓનાં અસ્તીઓ મળી આવતા એકવાર ફરી બિહારીનાં મુઝફ્ફરપુર શેલ્ટહોમ કેસમાં જે સામે આવી રહ્યુ છે તેણે સૌને ચોંકાવી દીધા છે. આ મામલે CBI દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સીબીઆઇએ આ મામલે શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં આશંકા જાહેર કરતા કહ્યુ કે, સીબીઆઇએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કરતા કહ્યું કે, મુઝફ્ફરપુર આશ્રય ગૃહ યૌન ઉત્પિડન મામલે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 યુવતીઓની કથિત રીતે હત્યા કરી હતી અને એક સ્મશાનઘાટમાંથી હાડકાંઓની પોટલી મળી આવી છે.
સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં સીબીઆઇએ કહ્યુ કે, તપાસ દરમિયાન દાખલ પિડીતોનાં નિવેદનમાં 11 યુવતીઓનાં નામ સામે આવ્યા છે. જેમની બ્રજેશ ઠાકુર સહિત તેના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી હતી. એજંસીએ કહ્યુ કે, એક માણસની નિશાનદેહી પર સ્મશાન ઘાટનાં એક ખાસ સ્થાનને ખોદવામાં આવ્યુ, જ્યા અસ્તીઓથી ભરેલી પોટલી મળી આવી.
6 મે થશે સુનવણી
આ કેસમાં સુપ્રિમ કોર્ટનાં ચીફ જજ રંજન ગોગાઇ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની પીઠે શુક્રવારનાં રોજ સુનવણી કરી. પીઠે જણાવ્યુ કે, તે આવેદન પર સીબીઆઇને ઔપચારિક નોટીસ જાહેર કરશે અને ઓજંન્સી ચાર અઢવાડિયાની અંદર તેનો જવાહ આપશે.
ઉલ્લેખનીય છે કે, બિહારના મુઝફ્ફરપુરમાં એક એનજીઓ દ્વારા સંચાલિત આશ્રય ગૃહમાં અનેક યુવતીઓ સાથે કથિત રીતે બળાત્કાર અને યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું અને ટાટા સામાજિક વિજ્ઞાન સંસ્થાનાં રિપોર્ટ બાદ આ મુદ્દો વધુ ઉછળ્યો હતો.