વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહની ૩૫૨મી જન્મજયંતિના અવસર પર એક સ્મારક સિક્કો જાહેર કર્યો છે.લોહરીના દિવસે ગુરુ ગોવિંદ સિંહને જન્મજયંતિ ઉજવવામાં આવે છે.
પીએમના નિવાસ સ્થાન પર આ મામલે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત બીજા નેતાઓ પણ શામેલ રહ્યા હતા.
ગુરુ ગોવિંદ સિંહને નમન કરતા વડાપ્રધાને કહ્યું કે ગુરુ ગોવિંદ સિંહના ખાલસા પંથે આખા દેશને જોડ્યા છે. છેલ્લા ચાર વર્ષોમાં આપણી સંસ્કૃતિ દુનિયાના ખૂણે-ખૂણે પહોચી ગઈ છે.
ગુરુ વીરતા સાથે ધીરતાની પણ અદ્ભુત મિશાલ હતા. તેઓ માત્ર યોદ્ધા જ નહી પરંતુ સારા કવિ પણ હતા.કરતારપુર કોરીડોર વિશે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના અથાક પ્રયાસોને લીધે કરતારપુર કોરીડોર બનવા જઈ રહ્યું છે. હવે ગુરુ નાનકના માર્ગ પર ચાલનાર દરેક ભારતીયને દૂરબીનની જગ્યાએ પોતાની આંખોથી ગુરુદ્વારાના દર્શન કરી શકાશે.