સેવાગ્રામ,
આજે ૨ ઓકટોબર, ત્યારે આ દિવસને દેશભરમાં ગાંધી જયંતી તરીકે ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે.
ગાંધી જયંતી નિમિત્તે ઘણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ પણ જોડાયા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૯મી જન્મજયંતીના અવસર પર રાહુલ ગાંધી તેમજ પાર્ટીના અન્ય વરિષ્ટ નેતાઓ મંગળવારે મહારાષ્ટ્રના સેવાગ્રામ ખાતે આયોજિત એક પ્રાર્થના સભામાં શામેલ થયા હતા.
સેવાગ્રામ ખાતે સ્થિત ગાંધીજીની કુટિર (ઝૂપડી)માં કોંગ્રેસ અધ્યક્ષ ઉપરાંત UPAના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સહિતના નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો કે આ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ લંચ બાપુની ઝુપડીમાં પોતાના વાસણ પણ ધોયા હતા.
મહારાષ્ટ્રના સેવાગ્રામ સ્થિત બાપુની કુટિરની વાત કરવામાં આવે તો, આ જગ્યાએ રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાના જીવનના અંતિમ વર્ષો આ જગ્યાએ વિતાવ્યા હતા.