નવી દિલ્હી,
મોદી સરકાર દ્વારા દેશભરમાં કોમ્પ્યુટર દ્વારા ચાલી રહેલી સેંધમારીને રોકવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુરુવારે ગૃહ મંત્રાલય દ્વારા દેશના કોઈ પણ વ્યક્તિના કોમ્પ્યુટરના જનરેટ, ટ્રાંસમિટ, રિસીવ અને સ્ટોર કરાયેલા કોઈ પણ દસ્તાવેજને જોવા માટે સુરક્ષા એજન્સીઓને અધિકાર આપ્યો છે.
આ માટે સરકાર દ્વારા કુલ ૧૦ સેટ્રલ એજન્સીને અધિકાર અપાયા છે, જેઓ દેશમાં થઇ રહેલી સેંધમારીની તપાસ કરી શકશે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, પ્રવર્તમાન નિર્દેશાલય (ED), સેટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ, CBI, NIA, RAW, ડાયરેક્ટરેટ ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્હીના કમિશનર ઓફ પોલીસ દેશમાં ચાલનારા તમામ કોમ્પ્યુટરની તપાસ કરી શકશે.