લખનઉ,
બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી પર ભાજપના ધારાસભ્ય સાધના સિંહ દ્વારા કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી મામલે હવે તેઓની મુશ્કેલીઓ વધી શકે છે.
આ ટિપ્પણી મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ભાજપના આ મહિલા MLA ને નોટિસ પાઠવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાધના સિહે માયાવતી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “બસપા પ્રમુખ ન તો મહિલા લાગે છે ન કોઈ પુરુષ”.
ગેસ્ટ હાઉસ કાંડ અંગે જણાવતા તેઓએ કહ્યું, “જે મહિલાનું આટલું મોટું ચીરહરણ હોય, તે સત્તા માટે આગળ આવતા નથી. તેઓનું તમામ વસ્તુઓ લુંટાઈ ગયું હોય, પરંતુ ત્યારે પણ એવા લોકો ખુરશી માટે અપમાન પણ પી લીધું છે. તે તો એક કિન્નર કરતા પણ ખરાબ છે કારણ કે, તેઓ તો ના કોઈ મહિલા છે કે કોઈ પુરુષ છે”.
મહત્વનું છે કે, સાધના સિંહ એ ભારતીય જનતા પાર્ટી તરફથી ચંદૌલી જિલ્લાની મુગલસરાય વિધાનસભા બેઠક પરથી MLA છે.