નવી દિલ્હી,
લોકસભામાં ચાલી રહેલી અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી પોતાના સંબોધન દરમિયાન વર્તમાન મોદી સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને દેશના ચોકીદાર નહિ પણ ભાગીદાર કહેતા નિશાન સાધ્યું હતું. જો કે આ દરમિયાન તેઓએ પોતાનું સંબોધન સમાપ્ત થયા બાદ જે કરી બતાવ્યું તે જોઇને સંસદમાં ઉપસ્થિત તમામ સાંસદો ચકિત થઇ ગયા હતા.
રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની સીટ પરથી ઉઠીને પીએમ મોદીને ગળે મળ્યા હતા અને ત્યારબાદ પીએમએ પણ તેઓની પીઠ થપ થપાવીને શુભકામનાઓ આપી હતી.
આ દરમિયાન તેઓએ કહ્યું, “તમારા લોકોમાં મારા માટે નફરત છે, તમે મને પપ્પુ અને ખુબ ગાળો આપીને ભુલાવી શકો છો પરંતુ મારા અંદર તમારા લોકો માટે નફરત નથી”.
મહત્વનું છે કે, દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસના આ બે શીર્ષ નેતાઓ હંમેશા એકબીજાની વિરુધમાં રહેતા હોય છે, ત્યારે શુક્રવારે લોકસભામાં જોવા મળેલા પ્રેમને લઇ તમામ ચકિત થયા હતા.