ઈઝરાયલ-હમાસ યુદ્ધના 19મા દિવસે ઈઝરાયલની વાયુસેનાએ ગાઝા પટ્ટી પર જોરદાર બોમ્બમારો કર્યો. આ હવાઈ હુમલામાં સેંકડો લોકોના મોત થયા છે. ગાઝા ખાલી કરવાની ચેતવણી બાદથી ઈઝરાયેલી સેનાએ ગાઝા પર હવાઈ હુમલાઓ તેજ કરી દીધા છે. ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં બોમ્બ ધડાકામાં કુલ 756 લોકો માર્યા ગયા છે. જ્યારે ગાઝા પર હવાઈ હુમલામાં 6546 લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં 344 બાળકો પણ સામેલ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 1400 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 7044 લોકોના મોત થયા છે.
અમેરિકાની પહેલ, ગાઝામાં શાંતિ હોવી જોઈએ
એક તરફ ઈઝરાયલ ગાઝામાં હમાસના ટાર્ગેટ પર ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ આ યુદ્ધને રોકવા અને વિશ્વ શાંતિ સ્થાપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલી તમામ યોજનાઓ નિષ્ફળ જતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ દ્વારા ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના હુમલા પર ટિપ્પણી કરતા કહ્યું કે ભવિષ્યમાં ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન રાજ્યોએ સાથે જોડાવું પડશે.
વોશિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જો બાઈડેને જણાવ્યું હતું કે, “ઈઝરાયલ અને પેલેસ્ટિનિયનો સુરક્ષા, ગૌરવ અને શાંતિમાં સાથે રહેવા માટે સમાન રીતે લાયક છે. જો બાઈડેને કહ્યું કે ઈસ્લામિક હમાસ જૂથ ઈઝરાયલ પર હુમલો કરવા માટે તૈયાર છે. 1,400 લોકોની હત્યા અને વિવિધ રાષ્ટ્રીયતાના 200 થી વધુ લોકોને બંધક બનાવવું એ ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સામાન્ય થતા અટકાવવાનું હતું.
ભૂમિ આક્રમણ માટે સેના તૈયાર
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયલ ભૂમિ આક્રમણની તૈયારી કરી રહ્યું છે. હું ક્યારે, કેવી રીતે અને કેટલી વાર તે વિશે વિગતવાર વાત કરીશ નહીં. આદેશની રાહ જોતા ગાઝા સરહદ પર ઈઝરાયલી ટેન્ક અને સૈનિકો તૈનાત છે. ઈઝરાયલે 360,000 રિજર્વિસ્ટ બોલાવ્યા છે. ગાઝા પર આક્રમણમાં વિલંબ કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે, પરંતુ દબાણ બંધકોને કારણે નથી. ઈઝરાયલ સરકારે કહ્યું કે હમાસ દ્વારા રાખવામાં આવેલા 220 બંધકોમાંથી અડધાથી વધુની ઉંમર 25 વર્ષથી ઓછી છે. વિવિધ દેશોના વિદેશી પાસપોર્ટ છે. ઘણાને દ્વિ ઈઝરાયેલી રાષ્ટ્રીયતા હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: SEBI/ શેરબજારના અસલી ‘બાપ’ કોણ, SEBIએ ફાઇનાન્સ ઈફ્લૂએન્સર સમજાવ્યું
આ પણ વાંચો: Firing/ અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, 16ના મોત અને 60 લોકો ઘાયલ
આ પણ વાંચો: Chandrayan/ શરદ પૂર્ણિમાથી કારતક પૂર્ણિમા સુધી આ વ્રત રાખવાથી મળશે પાપોમાંથી મુક્તિ