નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશની જનતાને દિવાળીની શુભેચ્છા આપી હતી. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી દર વર્ષે દેશના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરે છે. આ વર્ષે પણ નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા માટે જમ્મુ – કાશ્મીરનાં ગુરજ સેક્ટરમાં જવાનો વચ્ચે પોહચી ગયાં.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત અને કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત આરકેસિંહ પણ ગુરજે પહોંચ્યા છે. ચાર વર્ષોથી મોદી દિવાળીનો તેહવાર સેનાના સૈનિકો વચ્ચે જ ઉજવે છે.
૨૦૧૪માં સિયાચીન, ૨૦૧૫માં ડોગરાઈ વોર મેમોરિયલ પર તેમને જવાનો સાથે દિવાળીનો તેહવાર ઉજવ્યો હતો. ૨૦૧૬માં કીન્નોરમાં ચીનની સીમા પર ફરજ બજાવતા આઈટીબીપીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.