મહાગઠબંધન સાથે સંબંધ તોડીને નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નીતીશ કુમારે કહ્યું કે, આજે મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે અને રાજ્યપાલને રાજ્યમાં સરકારનું વિસર્જન કરવા પણ કહ્યું છે.
નીતિશ કુમારે પોતાનું રાજીનામું રાજ્યપાલ રાજેન્દ્ર વી આર્લેકરને સોંપ્યું છે.
બિહારના રાજ્યપાલે નીતીશ કુમારનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને નવી સરકારની રચના સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવા કહ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી.
મળતી માહિતી મુજબ નીતીશ કુમાર હવે બીજેપી અને એચએએમના ધારાસભ્યો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.
રાજીનામું આપ્યા બાદ જેડીયુ પ્રમુખ નીતીશ કુમારે કહ્યું કે, આજે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને રાજ્યપાલને રાજ્યમાં સરકારનું વિસર્જન કરવા પણ કહ્યું છે.
રાજીનામું આપ્યા બાદ નીતિશે શું કહ્યું?
રાજીનામું આપ્યા બાદ નીતિશે કહ્યું કે મેં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં રાજ્યપાલને રાજ્યમાં સરકારનું વિસર્જન કરવા પણ કહ્યું છે. મેં ઈન્ડી એલાયન્સ બનાવ્યું પરંતુ તે કામ કરતું ન હતું. લાલુની પાર્ટીનું વર્તન સારું નથી. મેં બધાના અભિપ્રાય લીધા પછી રાજીનામું આપ્યું.
નીતિશે કહ્યું કે મહાગઠબંધનની સ્થિતિ સારી નથી. હવે હું નવા ગઠબંધનમાં જઈ રહ્યો છું અને હવે હું ભાજપ સાથે વાપસી કરીશ.
ભાજપ સાથે નવી સરકાર બનશે, ભાજપના ક્વોટામાંથી 2 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે
આરજેડી છોડીને નીતિશ કુમાર ફરી એકવાર ભાજપ સાથે મળીને સરકાર બનાવશે. આજે સાંજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે ભાજપના ક્વોટામાંથી 2 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. વિધાયક દળની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને બિહારના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે
આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન
આ પણ વાંચો:‘Naughty’ Nitish/બિહારમાં નીતિશ-લાલુના ‘હનીમૂન’નો અંતઃ નીતિશ રવિવારે રાજીનામુ આપી નવી સરકાર રચવાનો દાવો કરશે