New Delhi News: ઈન્ડી ગઠબંધનની આગેવાની કરતા કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત કરનારી વિપક્ષની સંયુક્ત ‘મહારેલી’માં લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે કરવામાં આવી રહી છે નહીં કોઈ વ્યક્તિ વિશેષને.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, એનસીપી નેતા શરદ પવાર, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે, સપા નેતા, અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓબ્રાયન, ડીએમકે નેતા તિરૂચિ શિવા, નેશનલ કોંફ્રરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સહિત 28 દળના નેતા એકસાથે રેલીમાં હાજર રહેશે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની પત્ની કલ્પના સોરેન પણ મહારેલીમાં જોડાશે.
જયરામ રમેશે કહ્યું કે, ‘લોકતંત્ર અને બંધારણને બચાવવાની લડાઈ થઈ રહી છે. એટલે તેનું નામ ‘લોકતંત્ર બચાઓ રેલી’ રાખવામાં આવ્યું છે.’ મહારેલીના આયોજનના પગલે એવી અટકળો તેજ થઈ હતી કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ વિરૂદ્ધ રેલી યોજાઈ રહી છે. જોકે, કોંગ્રેસ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આ કોઈ એક મુદ્દો નહીં પરંતુ ઘણા જ્વલંત મુદ્દાઓ પર સવાલો કરવામાં આવશે.
આ પણ વાંચો:PM મોદી UPમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે, આ બેઠક ભાજપ માટે ‘લકી’ સાબિત થઈ
આ પણ વાંચો:સમુદ્રમાં ચાંચિયાઓ જહાજ પર હુમલો કરે છે ત્યારે જહાજ બીજા દેશ પાસેથી કઈ રીતે મદદ માંગે છે
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે