@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
હળવદ તાલુકાનાં રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્ક 2021 અંતર્ગત સામાજિક વનીકરણ રેન્જ-હળવદ અને સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા રણછોડ ગ્રામ પંચાયતનાં સહયોગથી ગામમાં આવેલ શિવજીનાં મંદિર ખાતે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તકે વિભાગનાં આરએફઓ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતનાં સભ્ય, ગ્રામ પંચાયતનાં સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
અપીલ / CBSE ની જેમ રાજ્યોના બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે, મુખ્યમંત્રીઓને પ્રિયંકા ગાંધીએ કરી અપીલ
વૃક્ષનું આપણા જીવનમાં અનેરૂ મહત્વ છે. જેના ભાગરૂપે આજે હળવદ તાલુકાનાં રણછોડગઢ ગામે ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલાના સ્વજનોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે વન વિભાગનાં આર એફ ઓ પી.જે જાડેજા,ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,જિલ્લા પંચાયતનાં સભ્ય મેરાભાઇ વિઠલાપરા, ગ્રામ પંચાયતનાં સરપંચ લક્ષ્મણભાઈ દલસાણીયા, મહેશભાઈ કોપીણીડયાતેમજ વનપાલ જી.ટી સોલંકી, કે.ટી વાઘેલા, જે.એ પીપરીયા સહિત ગામનાં આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ હાજર રહેલ દરેક ગ્રામજનોએ રોપવામાં આવે તમામ વૃક્ષોનું જતન કરવાના પણ શપથ લીધા હતા.