ગુજરાતમાં કોરોનાના કેસમા આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્ય સરકારની ચિંતામાં થોડો ઘટાડો થશે પરંતુ હજુ પણ કોરોનાના કેસ જોઈએ તેટલા ઘટી રહ્યા નથી.ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં આજે રાજ્યમાં 300ના વધારા સાથે નવા કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાનાં 12553 કેસો નોંધાયા હતા. જ્યારે 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 4802 દર્દીઓ સાજા થયા હતા.
ગઈકાલે રાજ્યમાં કોરોનાનાં 12,206 કેસો નોંધાયા હતા. આમ દૈનિક 1000ની ગતિએ વધતાં કોરોનાની ગતિમાં મામૂલી ઘટાડો આવ્યો છે. જ્યારે રસીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે માત્ર 1,25,942 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 4,21,155 પર પહોંચ્યો છે. જ્યારે 5740 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અને અત્યાર સુધી કુલ 3,50,865 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. આ ઉપરાંત રાજ્ય માટે વધુ એક ચિંતાજનક વાત એ છે કે રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. આજે રાજ્યનો રિકવરી રેટ 79.61 ટકા પર પહોંચ્યો છે.