પાટણ,
નવજીવન મેટરનીટી નર્સિંગ હોસ્પિટલમાં મહિલાનું મોત થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે પરિવારનું કહેવું છે કે મહિલાનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું છે.
પરિવારનો આક્ષેપ છે કે, નોર્મલ ડીલીવરી બાદ મહિલાનું મોત થયું હતું. મહિલાના મોતનું જવાબદાર હોસ્પિટલના ડોકર્ટસ છે જેમની બેદરકારીના કારણે મહિલા મોત થયું છે.
આ ઘટનાની જાણ થતા LCB,SOG સહીતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે હોસ્પિટલમાં પોલીસ બોલાવવામાં આવી હતી અને ડોકર્ટસની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારની માંગ છે કે પેનલ ડૉકટર અને વિડીયોગ્રાફી સાથે PM કરાવવામાં આવે. હાલ પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.