વર્લ્ડ કપ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઉથલપાથલ ચાલુ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પીસીબીએ ‘બાબર આઝમ’ પાસેથી કેપ્ટન્સી છીનવી લીધી છે. તેમની જગ્યાએ બે ખેલાડીઓના નામ સૂચવવામાં આવ્યા છે જે ભવિષ્યમાં પાકિસ્તાનના કેપ્ટન બની શકે છે. તેમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીસીબી શાહીન આફ્રિદીને ટી20 કમાન્ડ અને શાન મસૂદને ટેસ્ટ કમાન્ડ આપવામાં રસ ધરાવે છે.
પાકિસ્તાનની પ્રતિષ્ઠિત ચેનલ જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, PCB અધ્યક્ષ ઝકા અશરફ મંગળવારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન યુનિસ ખાન અને મોહમ્મદ હફીઝ સહિત કેટલાક અગ્રણી ખેલાડીઓને મળ્યા હતા. ચર્ચા દરમિયાન બાબરને તેમના પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, બાબર આઝમ 16 નવેમ્બરે ઝકા અશરફ સાથે ખાસ મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ બેઠક બાદ પીસીબી નવા કેપ્ટનના નામની જાહેરાત કરશે. અગાઉ એવા અહેવાલ હતા કે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ બાબર પોતે જ પોતાના પદ પરથી રાજીનામું આપવા માંગે છે.
પાકિસ્તાને આગામી કેટલાક મહિનામાં ODI મેચ રમવાની નથી. જૂનમાં ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શાહીન આફ્રિદીને ટી20ની કમાન સોંપવામાં આવી શકે છે. તેની પાછળનું કારણ પાકિસ્તાન સુપર લીગમાં તેનું પ્રદર્શન છે. શાહીન તેના નેતૃત્વમાં બે વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે.
આ પણ વાંચો: ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું ‘કમાન્ડ સેન્ટર’ હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું
આ પણ વાંચો: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારનું નિધન
આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન