Srinagar Attack/ શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા પોલીસકર્મીની ગોળી મારી હત્યા, 7 વર્ષની પુત્રી ઘાયલ

શ્રીનગરના સૌરા વિસ્તારમાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી.તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારમાં સ્થિત તેમના ઘરે કોન્સ્ટેબલ સૈફુલ્લાહ કાદરીને ગોળીબાર કર્યો હતો.

Top Stories India
daughter

શ્રીનગરના સૌરા વિસ્તારમાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી.તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારમાં સ્થિત તેમના ઘરે કોન્સ્ટેબલ સૈફુલ્લાહ કાદરીને ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે કાદરીને SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. હુમલામાં પોલીસકર્મીની 7 વર્ષની પુત્રી પણ ઘાયલ થઈ હતી.

મળતી માહિતી મુજબ, પુત્રી ખતરાની બહાર છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સોમવારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે તેણે લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાંથી ત્રણ ગયા મહિને બારામુલ્લામાં સરપંચની હત્યામાં કથિત રીતે સામેલ હતા.

આ પહેલા 13 મેના રોજ આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદ થોકરને તેના ઘરે ગોળી મારીને હત્યા કરી હતી તેના એક દિવસ પહેલા, 12 મેના રોજ આતંકવાદીઓએ બડગામ જિલ્લામાં સરકારી કર્મચારી રાહુલ ભટની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી હતી.

આ પણ વાંચો :ઉત્તરાખંડમાં AAPના સીએમ ઉમેદવાર અજય કોઠીયાલ ભાજપમાં જોડાયા