માધવપુરનો મેળો/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરાવશે માધવપુર લોકમેળાનો શુભારંભ : વિદેશી મહેમાનોનો અનેરો ઉત્સાહ

માધવપુર મેળો-2022નું ઉદઘાટન રવિવારે સાંજે થશે પરંતુ પૂર્વે મેળામાં આવેલા વિદેશી મહેમાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gujarat Others
મેળો

માધવપુરના મેળાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી છે. મેળો લોકો માટે ખુલ્લો મૂકવા છેલ્લી કલાકો ગણાઈ રહી છે. ધર્મ સાથે જોડાયેલા આ મેળામાટે લોકોમાં અનેરો ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગણતરીની કલાકોમાં એટલેકે સાંજે છ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોરબંદરના માધવપુર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજીત માધવપુર મેળો-2022 સાંસ્કૃતિક કાર્યક્રમો લોકમેળાનું ઉદ્દઘાટન કરશે. જો કે ઉદઘાટન પૂર્વે મેળામાં આવેલા વિદેશી મહેમાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અન્ય રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. પોરબંદર કલેકટરએ જણાવ્યું હતું કે, માધવપુર મેળાનું ઉદઘાટન સાંજે ૬ કલાકે  રાષ્ટ્રપતિના હસ્તે થવાનું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  ઉપસ્થિત રહેશે. સાથે સાથે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિક તથા ગૃહમંત્રી હર્ષ સાંઘવી ગુજરાત રાજ્ય , રાજ્ય મંત્રી અરવિંદ ભાઈ  રૈયાણી સહિત મહાનુભાવો, અધિકારીઓ, જુદા જુદા રાજ્યના કલાકારો તથા બહોળી સંખ્યામાં યાત્રિકો અને માધવપુર ગ્રામ જનો  ઉપસ્થિત રહેશે.

ભારતના ઉત્તર-પૂર્વિય રાજ્યોમાં સૌથી વધુ મહત્વ ધરાવતા ત્રિપુરાથી  આવેલા દેવાશીષ રિયાંગ કહે છે કે, અમે અગરતલા થી બે હજાર કિલોમીટરથી વધુનો પ્રવાસ કરીને ગુજરાતના પોરબંદર ખાતે ત્રિપુરાનો ખાસ એવો હોઝાગીરી ડાન્સના પરફોર્મન્સ માટે આવ્યા છીએ. ગુજરાતમાં આવ્યા બાદ અમને એવું લાગ્યુ કે અમારા ઘરે આવ્યા હોય, અમારા આગમનને સમયે પ્રેમ ઉત્સાહ અને આનંદની લાગણી ગુજરાતના પોરબંદરવાસીઓએ બતાવી છે તે ક્યારેય નહીં જ ભુલાય. ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગનો ખુબ ખુબ આભાર કે જેમના થકી અમને ગુજરાતમાં આવવા મળ્યું, ગુજરાતના ભોજનનો લાભ લેવાનો મોકો મળ્યો અને ખાસ કરીને ગુજરાતના લોકોની મીઠાશ અમને ખૂબ જ ગમી છે.

ગુજરાતી ભોજનનો સ્વાદ ખુબ જ સરસ હોય છે. મારી થાળીમાં મુકેલા ઢોકળા ખુબ જ ઝડપથી ખાઈ ગયો,  પુરી અને મીઠાઈ એ બધુંજ ભાવ્યું. ખાસ કરીને ગુજરાતની છાશનો સ્વાદ મને દાઢે લાગ્યો છે, તેમ દેવાશીષ રિયાંગે જણાવ્યું હતું.

ગુજરાતના માધવપુર ખાતે ભારતના ઉત્તરપૂર્વીય વિસ્તારનો છેવાડાના પ્રદેશ એવા અરુણાચલ પ્રદેશના લોકોનું એક ગ્રુપ માધવપુરના મેળા ખાતે પોતાનું ડાન્સ પરફોર્મ તથા બુદ્ધિષ્ટ ચાન્ટીંગ માટે આવ્યું છે. ગ્રુપના લીડર તરીકે તેન્જિન્ગ ઢુંઢુપ કહે છે કે, તમામ ગુજરાતીઓને મારા જય શ્રી કૃષ્ણ….! ગુજરાતના લોકોનો આવકાર, ભોજન અને રહેવાની વ્યવસ્થા ખૂબ જ સરસ છે. મને એવું લાગે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર અહીં પોરબંદરમાં સાકાર થઇ રહ્યો છે

બુદ્ધિષ્ટ ચાન્ટીંગ અમે છ મિનિટ પરફોર્મ કરવાના છીએ, જે બે ભાગમાં છે એક વોકલ અને બીજો ભાગ મલ્ટીફોનીકવાઈઝ પર્ફોમ કરવાના છીએ.નાગાલેન્ડથી આવેલી અને તે વિસ્તારના પરંપરાગત નૃત્ય શેલેપતા નૃત્યની નૃત્યાંગના એવી ૨૨ વર્ષીય યુવતી લીવીને કહે છે કે, મારો ગુજરાતનો અનુભવ આખી જિંદગી મને કાયમ યાદ રહેશે. જે રીતે હું ગુજરાતના પોરબંદરના રેલવે સ્ટેશન પર આવી, મારો આદર સત્કાર થયો, તેના પરથી જ ખ્યાલ આવી ગયો કે ગુજરાતમાં ખૂબ જ સારા દિવસો રહેશે. અમે લોકો ભોજનની બાબતમાં માંસાહારી છીએ પરંતુ ગુજરાતમાં અમને શાકાહારી ભોજનના અનેક વિકલ્પો અમને આપવામાં આવ્યા જેનો સ્વાદ અદભૂત અનુભવ રહ્યો. આદર સત્કારમાં ગુજરાત ભારતનું મોરપિચ્છ સમાન છે.

આમ જોઈએ તો, ગુજરાતના માધવપુરનો મેળો એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવના ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.

જુઓ આ પણ: સુરેન્દ્રનગરમાં સગીરાના ફોટા સાથે છેડછાડ કરી અપલોડ કરાતા માથાકૂટ

જુઓ આ પણ: શ્રીનગરમાં NITના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

જુઓ આ પણ: PM મોદીએ દેશવાસીઓને પાઠવી રામ નવમીની શુભેચ્છા