રાજકોટ,
રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. હવે પાણી માટે શહેરની જનતાને પાણી માટે કકળાટ નહી કરવો પડે, કારણે કે, મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં પાણી ભરવામાં આવ્યુ છે.
સૌની યોજના મારફતે ન્યારી ડેમ-1ને ભરાશે. ઉનાળામાં રાજકોટને પાણીની સમસ્યા ન પડે પાણી ડેમ ભરાશે. નર્મદાનું પાણી મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં ઠાલવાશે.
રાવકીગામ ગામ નર્મદાનું પાણી આવી પહોચશે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ ફાયદો થશે. ત્યારે 4 માર્ચના રોજ પીએમ મોદી પાણી અવતરણ કરાવશે. જામનગરથી રિમોર્ટ કંટ્રોલથી પાણી અવતરણ કરાવશે.
જેથી હવે રાજકોટવાસીઓને પાણીની સમસ્યાઓ સામનો નહી કરવો પડે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે પાણીની સમસ્યાઓ ઉદભવે એ સહજ બાબત છે.
ન્યારી ડેમમાં થોડા દિવસો સુધી ચાલે તેટલુ પાણી હતુ. જેથી લોકોમાં પાણીની સમસ્યાને લઈને ખુબ જ ચીંતામાં આવી ગયા હતા અને ન્યાર્રી ડેમમાં પાણી ઓછું થઇ ગયું હતું. આથી મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં પાણી ભરવામાં આવ્યું હતુ.
જેના પગલે શહેરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ખેડૂતોને પણ પાણીની સમસ્યા ઉદભવતી હતી. તેમાં પણ હવે ખેડૂતોને રાહત જોવા મળી રહી છે.