રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રવિવારે બાલેશ્વરમાં પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં બે પેસેન્જર ટ્રેન અને એક માલસામાન ટ્રેન વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 288 મુસાફરોના મોત થયા હતા અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટના સંદર્ભે સ્થળ પર હાજર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને સમારકામના કામની પ્રગતિ વિશે પૂછપરછ કરી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટનાસ્થળેથી કહ્યું, “વડાપ્રધાન દ્વારા ગઈકાલે આપેલી સૂચનાઓ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે એક ટ્રેકનું સમારકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આજે બીજા એક ટ્રેકનું સમારકામ પૂર્ણ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત તમામ કોચ દૂર કરવામાં આવ્યા છે. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. બુધવાર સવાર સુધીમાં સામાન્ય રૂટ ચાલુ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.”
#WATCH ओडिशा: रेल मंत्री अश्विनी वैष्णव ने बालासोर ट्रेन दुर्घटनास्थल पर चल रहे मरम्मत कार्य का निरीक्षण किया। pic.twitter.com/NNfIIxrHr0
— ANI_HindiNews (@AHindinews) June 4, 2023
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. અકસ્માતનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે… ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.
#WATCH | The commissioner of railway safety has investigated the matter and let the investigation report come but we have identified the cause of the incident and the people responsible for it… It happened due to a change in electronic interlocking. Right now our focus is on… pic.twitter.com/UaOVXTeOKZ
— ANI (@ANI) June 4, 2023
ટ્રેકને જોડવાનું કામ ચાલી રહ્યું છે.
દક્ષિણ પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) આદિત્ય કુમારે જણાવ્યું હતું કે પલટી ગયેલા ડબ્બાઓને હટાવી લેવામાં આવી છે અને એક બાજુથી ટ્રેકને જોડવાનું કામ પણ ચાલી રહ્યું છે.
આદિત્ય કુમારે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “ટ્રેક પરથી બોગી હટાવી લેવામાં આવી છે… માલગાડીની બે બોગી પણ હટાવી દેવામાં આવી છે… એક બાજુથી ટ્રેકને જોડવાનું કામ ચાલી રહ્યું છે… ટૂંક સમયમાં જ કામ શરૂ થઈ જશે. ટૂંક સમયમાં પૂર્ણ થશે.”
અધિકારીઓ પુનઃસ્થાપન પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટ્રેક રિસ્ટોરેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અધિકારીઓ દુર્ઘટના સ્થળ પર પુનઃસ્થાપન પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. એક હજારથી વધુ કામદારો કામમાં રોકાયેલા છે. મંત્રાલયે કહ્યું કે 7 થી વધુ પોકલેન મશીન, 2 અકસ્માત રાહત ટ્રેનો અને 3-4 રેલ્વે અને રોડ ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે. સાત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમો, પાંચ ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) એકમો અને 24 ફાયર સેવાઓ અને કટોકટી એકમો બચાવ કામગીરીમાં સામેલ હતા.
આ પણ વાંચો : ઓડિશા ટ્રેન દુર્ઘટના/ બાલાસોર પહોંચ્યા પીએમ મોદી, ટ્રેન દુર્ઘટના સ્થળેથી આ બે લોકોને કર્યો ફોન
આ પણ વાંચો :મંતવ્ય વિશેષ/ નેપાળ પર ચીનના વધતા પ્રભાવથી ભારત પરેશાન…
આ પણ વાંચો :મંતવ્ય વિશેષ/ કેવી રીતે થયો ઓડિશા ટ્રેન અકસ્માત, શું હતું સૌથી મોટું કારણ?
આ પણ વાંચો :ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ઓડિશા ટ્રેન દુર્ઘટના પર કથાકાર મોરારી બાપુએ વ્યક્તિ કર્યું દુઃખ, આટલા લાખની કરી મોકલી
આ પણ વાંચો :કર્ણાટક વિધાનસભા ચૂંટણી/ અમિત શાહ-ચંદ્રબાબુ નાયડુની મુલાકાત બાદ અટકળો, TDP ભાજપ સાથે કરશે વાપસી?