રાજકોટ,
રાજકોટમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુએ રુપાણી સરકાર ઉપર ઈશ્વરિયા ગામની જમીન મામલે પ્રહાર કર્યા છે.તેમણે કહ્યું છે કે,સંવેદનશીલ સરકારનું નામ આપીને ઈશ્વરિયા ગામની પચાસથી સાઈઠ વીધા જમીન રુપાણી કુટુંબના સભ્ય સહિત ભાજપના સભ્યો ટ્રસ્ટીઓ છે તક્ષશિલા કોલેજ બનાવવા માટે આપી છે.ગામના લોકોને કોલેજ નથી બનાવવી છતાં કેમ આવું કરે છે.સંવેદનશીલ મુખ્યમંત્રી રુપાણી ઉપવાસ પર બેઠા છે ત્યારે તેમને મળવા તેઓ કેમ આવ્યા નથી.
વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્ર મોદી ફક્ત નામકરણ કર્યા રાખે છે. વિજય રૂપાણી પરિવારના એક ટ્રસ્ટી સહિતના ભાજપના બધા અગ્રણીઓના ટ્રસ્ટની 10 એકર જેવી જમીન ગામને પરત જોઈએ છે. જમીન પરત લેવા માટે ગામલોકો ઉપવાસ પર બેઠા છે. કલેક્ટરે પણ અહીંના ધારાસભ્યને ગેરવાજબી જવાબ આપ્યો છે. ગામ લોકો જ્યાં સુધી લડવા માંગશે ત્યાં સુધી અમે તેમની સાથે લડત લડીશું.