રાજકોટ,
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો. આ વિદ્યાર્થીને કેટી આવતાં રેકટર દ્વાર પ્રેસર કરવામાં આવતું હતું અને હોસ્ટેલમાંથી રૂમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતુ્ં.
જેથી આ વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આ વિદ્યાર્થીએ 11માં માળેથી પડતું મૂકીને આપઘાત કરી નાંખ્યો હતો. આ વિદ્યાર્થી બીસીએ સેમેસ્ટર 4માં અભ્યાસ કરતો હતો અને મૂળ જૂનાગઢનો રહેવાસી હતો.
https://www.youtube.com/watch?v=wLGT0aIjeMI
આપઘાત કરતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. હાલ તો મૃતક નિલના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.