રાજકોટ,
રાજકોટમાં એક યુવાને મુખ્યમંત્રીને લોહીથી પત્ર લખ્યો છે. સંકેત મકવાણા નામના યુવાને આ પત્ર લખ્યો હતો. લોહીથી પત્ર લખવા પાછળનું કારણ એ છે કે પીજીવીસીએલ વીજ હેલ્પરની ભરતી રદ્દ કરવામાં આવી હતી. જેથી સંકેત નામના યુવાનને લાગી આવતાં તેને સીએમ રૂપાણીને લોહીથી પત્ર લખ્યો હતો. મહત્વનું છે કે, આ પરીક્ષામાં મેરિટમાં કૌભાંડ કરીને એક યુવકને ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો. જ્યારે આ કૌભાંડનો પર્દાફાશ થતાં આ યુવાને ભરતી રદ્દ કરી નાખવાની માંગને લઇને પત્ર લખ્યો હતો.