ગુજરાત ઉચ્ચતર માધ્યમીક બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગુજરાત બોર્ડ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા રહ્યું છે. આપને જણાવી દઇએ કે રાજ્યભારનાં લગભગ 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
73.27 ટકા પરિણામથી રાજ્યભરમાં કહી ખુશી કહી ગમ જોવા માહોલ જોવા મળી રહ્યો છે. તો આટલા ઉચ્ચા પરીણામોમાં પણ ફરી એક વાર “વિદ્યાર્થીની”ઓએ બાજી મારી હોવાનું સામે આવી રહ્યું છે.