રશિયા અને ભારતની મિત્રતા આજની નથી, પરંતુ દાયકાઓ જૂની છે. તે સમય સાથે સતત મજબૂત બનતો ગયો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રશંસા કરી છે. ફરી એકવાર તેમણે પીએમ મોદીના વખાણ કર્યા છે.શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વખાણ કરતા કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુબ બુદ્વિશાળી વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, રશિયા સ્થિત મીડિયા આરટીએ અહેવાલ આપ્યો છે.
પુતિને રશિયા અને ભારત વચ્ચે નાણાકીય સુરક્ષા અને સાયબર ક્રાઈમ સામેની લડાઈના ક્ષેત્રમાં વધુ સહયોગની આશા પણ વ્યક્ત કરી હતી. આરટી ન્યૂઝ પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયો અનુસાર, પુતિને એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, “વડાપ્રધાન મોદી સાથે અમારા ખૂબ સારા રાજકીય સંબંધો છે, તેઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. અને તેમના નેતૃત્વ હેઠળ, ભારત વિકાસમાં ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે.” આ એજન્ડા પર કામ કરવું ભારત અને રશિયા બંનેના હિત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.
ભારતમાં G20 સમિટમાં નવી દિલ્હી ઘોષણા સ્વીકાર્યા પછી તરત જ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ટિપ્પણીઓ આવી છે. નોંધનીય છે કે ઘોષણાપત્રમાં યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિ સ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ આ માટે રશિયા પર દોષારોપણ કરવામાં આવ્યું ન હતું, જેના માટે તમામ દેશો વચ્ચે સર્વસંમતિ પર પહોંચવું એક મોટી વાત હતી. મોસ્કોએ નવી દિલ્હીની ઘોષણાનું સ્વાગત કર્યું અને તેને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું.