Ahmedabad News: અમદાવાદમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતાં KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી સારવાર મળતાં તેમનું સ્વાસ્થ્ય સારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે બપોરે 12 વાગ્યાની આસપાસ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે બધાં રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ અભિનેતાને ડિસ્ચાર્જ અપાશે. શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં રોકાયા છે. કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ મોડી રાત્રે શાહરૂખ ખાનની તબિયત લખડતાં કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય વિશે અભિનેત્રી જુહી ચાવલાએ અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અભિનેતાની રાતથી તબિયત સારી નહતી. પણ હવે શાહરૂખ સારું અનુભવી રહ્યો છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે.
આ પણ વાંચો: અમદાવાદમાં CID, ITના દરોડા બાદ આંગડિયા પેઢીને NCBની નોટિસ
આ પણ વાંચો: ગુજરાતમાં ભીષણ ગરમી જીવલેણ બની, આગામી 5 દિવસ હીટવેવની આગાહી
આ પણ વાંચો: અમદાવાદની KD હોસ્પિટલમાં અભિનેતા શાહરૂખ ખાનને કરાયો દાખલ