સિદ્ધુ મુસેવાલા પંજાબી ગાયક છે. જેની 2022માં હત્યા થઈ હતી. મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર છે કે સિદ્ધુ મુસેવાલાની માતા ગર્ભવતી છે અને તે માર્ચમાં બાળકોને જન્મ આપી શકે છે. આ સમાચારો બાદ સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા ખુલાસો કર્યો છે કે તેમની પત્ની ચરણ કૌર ગર્ભવતી નથી. આ પોસ્ટમાં તેમણે સિદ્ધુના ફેન્સ અને યુઝર્સને અનુરોધ કર્યો છે કે પરિવાર વિશે ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેથી તે વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની 29મેના રોજ આંતરિક દુશ્મનાવટમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સચિન વિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની જવાબદારી લીધી હતી. જેની અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગાયકને ગોળી મારનાર શૂટર અંકિત સિરસા અને તેના સાથી સચિન ભિવાનીની પણ ધરપકડ કરાઈ હતી. આ બંને લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારની ગેંગ માટે કામ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ગાયક સિદ્ધુ મુસેવાલાના અવસાન બાદ પરિવારે પોતાનો એકમાત્ર વંશજ ગુમાવ્યો હતો. ત્યારબાદ એવા અહેવાલો સામે આવ્યા હતા કે સિદ્ધુના ગયા પછી તેના માતા-પિતા એકલા પડી ગયા છે આથી તેઓ પોતાને કોઈ આત્મીય સહારો મળે માટે ફરી સંતાનનું પ્લાનિંગ કરી રહ્યા છે. સિદ્ધુની માતાની ઉંમર વધુ હોવાથી તેઓ IVF ટેક્નોલોજીની મદદથી સિદ્ધુની માતા 58 વર્ષની ઉંમરે ગર્ભવતી બન્યા છે અને ટૂંક સમયમાં જ જોડિયા બાળકોને જન્મ આપી શકે છે. તેવા અહેવાલો સમાચારોની હેડલાઈન બન્યા હતા.
આ સમાચારો વચ્ચે હવે સિદ્ધુ મૂઝવાલાના પિતાએ તેમના વેરિફાઈડ ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે અનુરોધ કર્યો છે કે ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ. તેણે લખ્યું, ‘અમે સિદ્ધુના ચાહકોના આભારી છીએ, જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. પરંતુ અમે અપીલ કરીએ છીએ કે પરિવાર વિશે ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.
જો કે, સિદ્ધુ મૂઝવાલાના પિતાએ પણ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જે પણ સમાચાર હશે તે પરિવાર પોતે જ બધા સાથે શેર કરશે. તેણે લખ્યું કે, ‘પરિવાર જે પણ સમાચાર છે તે તમારા બધા સાથે શેર કરશે.’ તે જ સમયે, ચાહકો હજુ પણ આશાવાદી છે કે તેઓ ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળશે. 11 માર્ચે સમાચાર આવ્યા કે ચરણ કૌરને ડિલિવરી માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ‘પંજાબ કેસરી’ના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે જોડિયા બાળકોને જન્મ આપી શકે છે.
માણસાના જવાહર ગામમાં 29 મે 2022ના દિવસે સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે પોતાની જીપમાં બેઠો હતો. ત્યારે સામેથી કેટલાક લોકો કારમાં આવ્યા અને જીપ પર ગોળીબાર કર્યો. તેમની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. તેમના પુત્રના મૃત્યુ પછી, બલકૌર સિંહ અને ચરણ કૌરની હાલત ખરાબ હતી. બંને ચોંકી ગયા.