નવી દિલ્હી,
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની વર્તમાન સમયમાં ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન નથી, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હજી પણ ટીમ ઇન્ડીયા કેપ્ટન તરીકે વિરાટ કોહલી નહિ પણ એમ એસ ધોનીને માને છે.
આ વાત તમને એક તબક્કે ખોટી લાગતી હશે, પરંતુ આ વાત અમે નહિ પણ પોતે ભારતીય ક્રિકેટ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.bcci.tvમાં જણાવવામાં આવી રહ્યું છે.
હકીકતમાં, BCCIની વેબસાઈટ પર ધોનીને હજી પણ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બતાવવામાં આવી રહ્યો છે. જો કે ધોનીએ ટીમની કેપ્ટનશિપ ૪ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ છોડી દીધી હતી અને હાલમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.
આશ્ચર્યની વાત એ છે કે હાલમાં ભારતીય ટીમના નિયુક્ત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ એન એસ ધોનીનું નામ આવી રહ્યું છે.
મહત્વનું છે કે, ઈંગ્લેંડ સામેની વન-ડે સીરીઝમાં ધોનીના રહેલા નિરાશાજનક પ્રદર્શન બાદ તેઓના રિટાયર્ડમેન્ટ અંગે અનેક ચર્ચાઓ સામે આવી રહી છે, પરંતુ આ ચર્ચાઓ અંગે ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પોતાના નિવેદનથી તમામ અટકળો પર વિરામ મુકાયું છે.