વિરોધ/ જ્યાં મોહન ડેલકરની અંતિમ વીધી કરવામાં આવી હતી ત્યાં હવે પ્રશાસક પ્રફૂલ પટેલના પૂતળા બાળવામાં આવ્યા

જ્યાં મોહન ડેલકરની અંતિમ વીધી કરવામાં આવી હતી ત્યાં હવે પ્રશાસક પ્રફૂલ પટેલના પૂતળા બાળવામાં આવ્યા

India Trending
વ૧ 17 જ્યાં મોહન ડેલકરની અંતિમ વીધી કરવામાં આવી હતી ત્યાં હવે પ્રશાસક પ્રફૂલ પટેલના પૂતળા બાળવામાં આવ્યા

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જ્યાં મોહન ડેલકરની અંતિમ વીધી કરવામાં આવી હતી ત્યાં જ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફૂલ પટેલના પૂતળા બાળવામાં આવ્યાછે.

સ્વ સાંસદ મોહન ડેલકર મોત બાદ નગર હવેલીના લોકો માં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્વ સાંસદ મોહન ડેલકરના પાર્થિવ શરીરને સાયલી ખાતે બાળદેવી સ્મશાનમાં જ્યાં અંતિમ ક્રિયા થઈ હતી. એજ જગ્યા એ લોકોએ દાદરા નગર હવેલી ના પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાની અંતિમ ક્રિયા કરી. લોકો માં ભારે રોષ ને લઈ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે . ક્યાંક કેન્ડલ માર્ચ નીકળી રહી છે ક્યાંક પૂતળા દહન થઈ રહ્યા છે .

તો આજરોજ લોકો એ ભારે આક્રોશ સાથે પ્રફુલ પટેલ ના પૂતળા નું અંતિમસંસ્કાર કરી વિરોધ દર્શવ્યો હતો. ફાંસી આપો ફાંસી આપો ના નારાઓ સાથે લોકો પ્રફુલ્લ પટેલ જેમનું નામ સ્વ મોહનભાઇ ડેલકારના આપઘાત મામલે મુંબઇ પોલીસે ફરિયયાદમાં પ્રથમ દાખલ કરવા માં આવી છે. તેમનો વિરોધ કરી રોજના પુતળા દહન કરવામાં આવે છે જ્યારે આજે તો તેમના પૂતળાંની અંતિમ ક્રિયા કરવામા આવી છે. જેનો વિડિઓ સેલવાસ ખાતે સોશિયલ  મિડયા માં વાઇરલ થતા ચકચાર મચી છે.