સુરત,
સુરતમાં રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ હોબાળો મચાવી નાખ્યો હતો. કીમ રેલ્વે સ્ટેશન પરની આ ઘટના છે કે જ્યાં મુસાફરો રેલ્વે ટ્રેક પર ઉતરી આવ્યા હતા. ટ્રેન રદ્દ થતાં તેમજ અન્ય ટ્રેનની સ્ટોપેજની માંગ નહીં સ્વીકારતાં મુસાફરો રોષે ભરાયા હતા અને કીમ રેલ્વે સ્ટેશનના રેલ્વે ટ્રેક પર ઉતરીને રેલ્વે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.