સુરત,
સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના દુષ્કર્મ મામલે હવે મંદિરના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં પીડિતા કેટલાક લોકો સાથે આરોપી સાધુને માર મારી રહી હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે આ બધુ સાધુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર છે. અમે પોલીસ તંત્રને તપાસમાં પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને અમે મંદિરના સીસીટીવી જાહેર કર્યો છે.
મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ફરિયાદી દ્વારા ખોટી રીતે સાધુને ફસાવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને સાધુ જ્યારે એકલો હતો ત્યારે પીડિતાએ તેના સાથીદારો સાથે હુમલો કરી સાધુને માર માર્યો હતો. ત્યારે હવે આ હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.