Video/ તાહિરા કશ્યપે કહ્યું – તંદુરસ્ત જ્યુસ પણ હોઈ શકે છે હાનિકારક, ICUમાં રહેવાની નોબત આવી ગઈ

એક ઇન્સ્ટાગ્રામ રીલમાં, તાહિરા કશ્યપે  તેની આપવીતી સંભળાવી હતી, આ વીડિયોમાં તાહિરા જણાવી રહી છે કે, તે હંમેશા હળદર, દૂધી અને આંબળાનો રસ પીતી..

Entertainment
તાહિરા કશ્યપે

અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની અને ફિલ્મ નિર્માતા તાહિરા કશ્યપને અચાનક માંદગીના કારણે તાત્કાલિક હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તાહિરાએ સોશિયલ મીડિયા પર પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ પણ જણાવ્યું હતું કે, કેવી રીતે તેણે દૂધી, આમળા અને હળદરનો રસ પીધા બાદ 20 ઉલટી કરી અને હોસ્પિટલ પહોંચી.

આ પણ વાંચો :NCB કરશે આર્યનના જામીનનો વિરોધ, ડ્રાઈવર પાસેથી મળી આ મહત્વની માહિતી

જ્યારે તાહિરા હવે સ્વસ્થ થઈ ગઈ છે, આ ઘટનાએ તેને આઘાતમાં મૂકી દીધી. અને તેના ડોક્ટરના કહેવાથી હવે તાહિરા લોકોને કડવી રસ વિશે જાગૃત કરી રહી છે. એક ઇન્સ્ટાગ્રામ રીલમાં, તાહિરા કશ્યપે  તેની આપવીતી સંભળાવી હતી, આ વીડિયોમાં તાહિરા જણાવી રહી છે કે, તે હંમેશા હળદર, દૂધી અને આંબળાનો રસ પીતી હતી, પરંતુ તે દિવસે તેને સ્વાદ થોડો કડવો લાગ્યો. સ્વાદ કડવો હોવા છતાં તેણે જ્યુસ પીધો અને પછી તેને ખૂબ ઉલટીઓ થઈ. તાહિરાનું બ્લડ પ્રેશર પણ વધારે પડતુ ઘટી ગયુ હતું અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને ICUમાં દાખલ કરી.

https://www.instagram.com/reel/CUyv0znI2RE/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :BYJUSએ શાહરૂખ ખાનની તમામ જાહેરાત પર હાલ પ્રતિબંધ મૂક્યો

તાહિરા કશ્યપે વીડિયોમાં જણાવ્યું કે, ડોક્ટરે મને આ વીડિયો શેર કરવાની સલાહ આપી છે. તેમના મત અનુસાર મારે આ અનુભવ લોકો સાથે શેર કરવો જોઈએ. મેં મારા તમામ ઓળખીતા જે ગ્રીન જ્યુસનું સેવન કરે છે તેમને પણ ફોન કરીને આ વાતની જાણકારી આપી. દૂધીનો કડવો રસ પીવાને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હોય તેવી પણ ઘટનાઓ સામે આવી ચુકી છે.

આ પણ વાંચો : વનરાજ’ પર ભારે પડશે તેનું અભિમાન, શું ‘અનુપમા’ બાદ બાળકો પણ છોડશે સાથ!

આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તાહિરા કશ્યપની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી. તેણે એટલી ઉલટી કરી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ICU માં થોડા દિવસો બાદ તાહિરા તેની આગામી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ના સેટ પર ફરી છે. તાહિરા હાલમાં દિવ્યા દત્તા સાથે તેની પ્રથમ નિર્દેશિત ફીચર ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત, તાહિરા કશ્યપ ખુરાના પણ પોતાનું પાંચમું પુસ્તક ‘ધ 7 સિન્સ ઓફ બીઇંગ એ મધર’ પ્રકાશિત કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : બોલીવુડના એવા ગીતો જે પત્રોના વિતેલા સમયની યાદોને કરે છે જીવંત