કોરોના સમગ્ર ભારતવાસીઓ માટે કાળ બનીને આવ્યો છે, સામાન્યથી અને સેલિબ્રિટી સૌ કોઈને કોરોના પોતાનો શિકાર બનાવી રહ્યો છે. બોલિવૂડમાં ઘણાં નામાંકિતો એ આ સમયગાળામાં વિદાય લીધી છે. તો કેટલાક કલાકારોના પરિજનો પણ વિદાય લઈ રહ્યા છે. જેના કારણે માહોલ ગમગીન બની રહ્યો છે.હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરા નિશ્ચિત ગાંધી તથા નાનો ભવ્ય ગાંધીછે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. ભવ્ય હાલમાં કરિયર પર ફોકસ કરી રહ્યો છે.વિનોદ ગાંધી છેલ્લાં 10થી પણ વધુ દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓ છેલ્લાં ઘણાં સમયથી વેન્ટિલેટર પર હતાઆ ઘટનાની જાણ થયા બાદ ભવ્ય ને વિશાળ ચાહક વર્ગ તેમજ કલાકારો દ્વારા તેના પિતાનું નિધન બદલ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
મૂળ ગુજરાતી અને ચુસ્ત જૈન ધર્મ પાળતા આ પરિવારના માથે હાલ દુઃખનો પહાડ તૂટી પડયો છે.ગત અઠવાડિયે 9 મેના રોજ ભવ્યની માસીની દીકરી તથા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહની બહેનના લગ્ન હતા. પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય તથા તેનો પરિવાર મુંબઈમાં હોવા છતાંય લગ્નમાં ફિઝિકલી હાજર રહી શક્યા નહોતા. તેમણે વર્ચ્યુઅલી લગ્ન એટેન્ડ કર્યા હતા.ભવ્ય ગાંધીએ ‘તારક મહેતા’માં 2008થી કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. ભવ્ય ગાંધીએ જ્યારે સિરિયલ છોડી ત્યારે તે બીકોમના બીજા વર્ષમાં હતો અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
ટેલિવિઝનની દુનિયામાં હાસ્યનું મોજું ફેલાવવા માટે મશહૂર સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુનું પાત્ર ભજવી અને ભવ્ય ભારે લોકચાહના મેળવી છે. આ સીરિયલમાં તેના તોફાન ઉપરાંત તેની વાળ ઉગાડવાની સ્ટાઈલ ને લોકો હજુ પણ મિસ કરે છે.. તે સિરિયલમાં દયાભાભી તથા જેઠાલાલના દીકરાનો રોલ કરતો હતો. ભવ્યે શો છોડતા હવે તેની જગ્યાએ રાજ અનડકટ છે.2017માં ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બાદ ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ રિલીઝ થઈ હતી. જ્યારે ‘તારી સાથે’ રિલીઝ થવાની બાકી છે. ભવ્ય હિંદી ફિલ્મ ‘ડૉક્ટર ડૉક્ટર’માં પણ જોવા મળશે.