Not Set/ આપના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણવાની ચૂંટણી પંચે ભલામણ કરતાં પાર્ટીમાં રાજકીય ભુકંપ

દિલ્હી, આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોના ઓફિસ ઓફ પ્રોફિટ મામલે શુક્રવારે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે. કેટલાંક મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ઇલેક્શન કમીશને આ 20 ધારાસભ્યોને અયોગ્ય ગણવાની ભલામણ કરી છે. ત્યારે ઇલેક્શન કમીશને રાષ્ટ્રપતિને આપના 20 ધારાસભ્યોના પદને અયોગ્ય ઠેરવવાની ભલામણ કરતાં આમ આદમી પાર્ટીમાં રાજકીય ભુકંપ આવ્યો છે. બીજી તરફ ઇલેક્શન કમિશનના સુત્રો જણાવ્યા […]

Top Stories
ARVIND KEJRIWAL 630 630 630 630 આપના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણવાની ચૂંટણી પંચે ભલામણ કરતાં પાર્ટીમાં રાજકીય ભુકંપ

દિલ્હી,

આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોના ઓફિસ ઓફ પ્રોફિટ મામલે શુક્રવારે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે. કેટલાંક મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ઇલેક્શન કમીશને આ 20 ધારાસભ્યોને અયોગ્ય ગણવાની ભલામણ કરી છે. ત્યારે ઇલેક્શન કમીશને રાષ્ટ્રપતિને આપના 20 ધારાસભ્યોના પદને અયોગ્ય ઠેરવવાની ભલામણ કરતાં આમ આદમી પાર્ટીમાં રાજકીય ભુકંપ આવ્યો છે. બીજી તરફ ઇલેક્શન કમિશનના સુત્રો જણાવ્યા મુજબ, “અમે રાષ્ટ્રપતિને શું ભલામણ મોકલી છે, તે વિશે હાલ કોઈ ખુલાસો કરવામાં આવશે નહીં”.

DT5MdlXUMAA4yY આપના 20 ધારાસભ્યોને અયોગ્ય ગણવાની ચૂંટણી પંચે ભલામણ કરતાં પાર્ટીમાં રાજકીય ભુકંપ

ઇલેક્શન કમિશનના આ રિપોર્ટ પર હવે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શું નિર્ણય લે છે. તેના પર સૌની નજર મંડરાયેલી છે. આપના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ચૂંટણી પંચ દ્રારા ધારાસભ્યોને પુછ્યા વગર જ એક તરફી નિર્ણય લેવાઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આપના 21 ધારાસભ્યોને નોટિસ ઇશ્યૂ કરી હતી. આપના નેતા અરવિંદ કેજરીવાલે આ ધારાસભ્યોને સંસદીય સચિવ તરીકે નિમણૂક કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પણ ડિસેમ્બર 2016ના રોજ 21 ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકેની નિમણૂકને રદ કરી દીધી હતી.