અમદાવાદ,
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ઉત્સવને દેશ-વિદેશમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.
ગાંધીજી ઉપરાંત આજે ‘જય જવાન જય કિશાન’નો નારો આપનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે.
જો કે ભાજપના સોશિયલ મીડિયા સેલના કન્વીનરની અજ્ઞાનતા સામે આવી છે. કન્વીનર પંકજ શુક્લાએ લાલબહાદુર શાસ્રીની જન્મજયંતીની જગ્યાએ પૂણ્યતિથીનું ટ્વિટ કરીને શ્રદ્ધાજંલિ આપી છે.