Rajkot News :રાજકોટના જસદણમાં મંદિરના એક મહંતે આત્મહત્યા કરી લેતા પરિસરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જસદણમાં દેવપરા ગામમાં બિલીયા મહાદેવનું મંદિર આવેલું છે.
દરમિયાન બિલીયા મહાદેવના મહંતે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. મહંતે મોડી રાત્રે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેમણે ઝાડ સાથે દોરડુ બાંધીને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
આ અંગે જસદણ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે મહંતે કયા કારણસર આપઘાત કર્યો તે તાત્કાલિક જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો