Surat News: સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટેલે કારસેવકોને લઈ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે હિન્દુ સમાજની આશાઓ અને અપેક્ષા આજે પૂરી થઈ છે. કારસેવકો માટે રામ દર્શન કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
અયોધ્યા રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટેલે કાર સેવકો અંગે નિવેદન આપ્યું છે. 1991માં કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા. જે વિપક્ષ અલગ માનસિકતા રાખતું હતુ. કાર સેવકોને અયોધ્યા લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું છે. તેમને વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી ભગવાનમાં શ્રદ્ધા રાખતી નહોતી. તે પાર્ટીઓના જુલ્મ પણ કાર સેવકોને સહન કરવા પડ્યાં હતા. આજે તેમની ધીરજનો અંત આવ્યો છે.
1400 કાર સેવકોને અયોધ્યા લઈ જવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રામ મંદિર બનવા માટે કેટલાયે કાર સેવકોએ આંદોલન કર્યું હતું. અનેક લોકોએ સહીદી વહોરી છે. દેશના અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે. જે બદલ હું અભિનંદન પાઠવું છું. રામનું અસ્તિત્વ ન હોવાનું કેટલાક લોકોએ માન્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સાથે રાખી મંદિરનું નિર્માણ કર્યું છે.
આ પણ વાંચો:Historical Moment/ ગુજરાતમાં પણ લોકો ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠામાં જોડાઈ ગયા
આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…