આણંદ
આણંદના ત્રણોલ ગામે પંચાયત દ્વારા રસ્તો બનાવવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું જેને કારણે ત્રણોલ ગામના મહાદેવ મંદિરના પૂજારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
વૃક્ષો કાપી નખાતા પૂજારીએ સમાધી લેવાનો નિર્ણય કર્યો હતો અને સમાધી માટે પૂજારી દ્વારા ખાડો ખોદતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા પૂજારીની અટકાયત કરી તેમને સમાધી લેતા અટકાવવામાં આવ્યા હતા. હાલ તો મંદિરની આજુ બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.