રામ મંદિરમાં સૂર્ય અભિષેકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અહીં સૂર્યે અરીસા દ્વારા ભગવાનના કપાળ પર તિલક લગાવ્યું છે. આ સૂર્ય તિલકનું વૈજ્ઞાનિકોની હાજરીમાં બપોરે બરાબર 12:00 વાગ્યે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. એક વ્યક્તિ દ્વારા રામલલાના લલાટ પર થયેલ સૂર્ય તિલકના પરીક્ષણનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કર્યાના થોડા જ સમયમાં લાખો લોકો દ્વારા તેને પસંદ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રામનવમીના દિવસે રામલલાના લલાટ પર સૂર્યના કિરણો તિલક કરશે.જેનું અગાઉ વૈજ્ઞાનિકોની હાજરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું અને તે ઘણું સફળ રહ્યું છે. આ પરિક્ષણ સફળ રહેતા હવે રામનવમી પર અદભૂત નજારો જોવા મળશે અને રામલલાના લલાટની શોભામાં અભિવૃદ્ધિ થશે.
રામનવમીના દિવસે વૈજ્ઞાનિકો અરીસા દ્વારા ભગવાન રામલલાના મસ્તક પર સૂર્યના કિરણોનું નિર્દેશન કરશે. આ સમય દરમિયાન, સૂર્યના કિરણો રામલલાના કપાળની સુંદરતામાં વધારો કરશે. સૂર્યતિલકનું રિહર્સલ શુક્રવારે થયું અને પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહ્યો. અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિત્તે બપોરે 12.00 વાગ્યે સૂર્યના કિરણો ભગવાન રામલલાને તિલક કરશે, આ અંગે ચાલી રહેલો પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. વૈજ્ઞાનિકોએ અરીસાઓ દ્વારા સૂર્યના કિરણોને ભગવાનના કપાળ પર નિર્દેશિત કર્યા છે. સૂર્યના કિરણો લગભગ ચાર મિનિટ સુધી રામલલાના કપાળની સુંદરતામાં વધારો કરશે. બરાબર રામનવમીના દિવસે બપોરે 12:00 વાગ્યે, ભગવાન શ્રી રામના મસ્તિષ્ક પર તિલક લગાવશે.
સફળ પરીક્ષણ બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું કે સૂર્યદેવ આ વખતે રામનવમીના અવસર પર જ ભગવાન રામલલાનું તિલક કરશે. પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ જ આ પ્રયોગ સફળ થશે, પરંતુ વૈજ્ઞાનિકોએ શુક્રવારે ભગવાન રામલલાના મસ્તક પર સૂર્યના કિરણો સફળતાપૂર્વક મોકલ્યા.
‘ખૂબ પ્રશંસનીય છે અને તે ખૂબ જ અદ્ભુત છે’
શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે માહિતી આપી હતી કે સૂર્યના તિલકનું સફળ પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય અને ખૂબ જ અદ્ભુત છે, કારણ કે સૂર્યના કિરણો ભગવાન રામલલાના કપાળ પર પડ્યા હતા. સૂર્યના કિરણો ભગવાન રામના કપાળ પર પડતાં જ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન સૂર્યનો ઉદય થઈ રહ્યો છે.
એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો ત્યારે સૂર્ય ભગવાન 1 મહિના સુધી અયોધ્યામાં રહ્યા હતા. ત્રેતાયુગનું એ દ્રશ્ય હવે કળિયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે. જ્યારે અમે ભગવાન રામની આરતી કરી રહ્યા હતા અને સૂર્ય ભગવાન તેમના કપાળ પર રાજ્યાભિષેક કરી રહ્યા હતા, તે દ્રશ્ય ખૂબ જ અદ્ભુત દેખાઈ રહ્યું હતું.
આ પણ વાંચો: વકીલે અસીલ પાસે માંગવી પડી માફી, જાણો કેમ…
આ પણ વાંચો: Unseasonal rain/મોસમનો મિજાજ પલટાયો, દિલ્હીમાં આંધીતૂફાનની આગાહી
આ પણ વાંચો: Loksabha Election 2024/રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા
આ પણ વાંચો: Priyanka rally/આજે પીએમ મોદીના જવાબમાં ઉત્તરાખંડમાં પ્રિયંકા ગાંધીની રેલી