World News : ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. હાલમાં અહીંની રાજદાની જાકાર્તામાં ઈસ્તિકલાલ મસ્જિદમાં હજારોની સંક્યામાં લોકો એકઠા થયા હતા. દરમિયાન દેશના નેતાઓએ પર્યાવરણને લઈને શખત ચેતવણી આપી હતી અને તેના ઉકેલ માટે અસરકારક રસ્તા અપનાવવાની અપીલ કરી હતી. ઈસ્લામને આધારે બતાવાયેલા આ રસ્તાઓને અપનાવવાની આ પહેલને ગ્રીન ઈલ્સામ કહેવામાં આવે છે. ઈસ્તેકલાલ મસ્જિદના મુક્ય ઈમામ નસરૂદ્દીન ઉમરે કહ્યું કે ઈન્સાનોના રૂપમાં આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ધરતીને એક વસ્તુ કરીકે જોઈએ છે. પ્રકૃતિને લઈને આપણી લાલચ જેટલી વધશે તબાહીનો દિવસ એટલો જલ્દી આવશે.
જે નદીના કિનારે ઈસ્તિકલાલ મસ્જિદ છે તેમાં ફેલાયેલી ગંદકીને લઈને તેમણે સફાઈનો આદેશ આપ્યો હતો. તે સિવાય તેમણે મસ્જિદમાં સોલાર પેનલ લગાવવા, પાણી ધીરે ધીરે નીરૃકળે તેવા નળ લગાવવા કહ્યું હતું.
ઈન્ડોનેસિયાની વસ્તી 20 કરોડથી વધુ છે. જેમાં મુસ્લિમોની બહુમતી સંખ્યા છે. અહીંની કેટલીય મસ્જિદોના સીર્ષ ઊઈમામ ક્લાઈમેટ ચેન્જની સમસ્યાનું સમાધાન કરવા માટે ફતવા બહાર પાડી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં નસરૂદ્દીને કહ્યું હતું કે દુનિયામાં સૌથા વધુ મુસ્લિમોની વસ્તાવાળા દેશને પગલે અમારા તરફથી મુસ્લિમ સમુદાય માટે સારા ઉદાહરણ રાખવા જરૂરી છે.
આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો
આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ
આ પણ વાંચો:77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થશે, જાણો યુએનના રિપોર્ટમાં શું છે નવો ખુલાસો?