Entertenment/ ..તો અભિનેત્રી કાજોલનું નામ મર્સિડીઝ હોત

બોલીવુડ અભિનેત્રી કાજોલ પીઢ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીની પુત્રી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સમયે અભિનેત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે

Trending Entertainment
10 20 ..તો અભિનેત્રી કાજોલનું નામ મર્સિડીઝ હોત

બોલીવુડ અભિનેત્રી કાજોલ પીઢ અભિનેત્રી તનુજા અને દિવંગત ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીની પુત્રી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સમયે અભિનેત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તેના પિતા શોમુ મુખર્જી તેનું નામ ‘મર્સિડીઝ’ રાખવા માંગતા હતા કારણ કે તેમને આ નામ ખૂબ જ પસંદ હતું. આ ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યું હતું કે તેની માતા બાળકો માટે ખૂબ જ કડક હતી. નાનપણમાં તે તેને બેડમિન્ટન રેકેટ અને વાસણો વડે માર પડતો હતો. વર્ષ 1973માં તનુજાએ શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.

કાજોલે જણાવ્યું કે જ્યારે તે સાડા ચાર વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 2008માં શોમુ મુખર્જીનું નિધન થયું હતું.  વર્ષ 1999માં કરણ થાપર સાથેની મુલાકાતમાં કાજોલે કહ્યું, “મારા પિતા મારું નામ મર્સિડીઝ રાખવા માંગતા હતા. તેમને આ નામ ખૂબ જ ગમતુ હતુ. મર્સિડીઝના માલિકે કારની કંપનીનું નામ તેમની પુત્રીના નામ પર રાખ્યું. તેથી મારા પિતા વિચારતા હતા કે જ્યારે તેઓ જો તમની દીકરીનું નામ આ રીતે રાખી શકે છે તો હું કેમ ન રાખુ.”

કાજોલે આગળ કહ્યું, “મને પ્રેમ મળ્યો પરંતુ ક્યારે માથા પર ચઢાવવામાં નથી આવી. મારી માતા માનતી ન હતી કે બાળક બગાડવું જોઈએ નહીં માટે તે ખૂબ જ કડકાઇ રાખતા. હું જ્યારે પણ કોિ  હું ભૂલો કરતી ત્યારે તે મને બેડમિન્ટન રેકેટથી મારતી. જ્યારે પણ મેં કંઇ ખોટું કર્યું ત્યારે વાસણો પણ મારા પર ફેંકવામાં આવતા હતા.”

ઉલ્લેખનીય છે કે કાજોલે અજય દેવગન સાથે લવ મેરેજ કર્યા છે. બંને પહેલીવાર વર્ષ 1995માં ફિલ્મ ‘હલચલ’ના સેટ પર મળ્યા હતા. બંને છેલ્લે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. તેમને ન્યાસા અને યુગ નામના બે બાળકો છે. વર્ષ 2021માં કાજોલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ત્રિભંગ’માં જોવા મળી હતી. હાલમાં કાજોલ ફિલ્મ ‘સલામ વેંકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.