dhanera accident/ બનાસકાંઠાના ધાનેરામાં અકસ્માતમાં ત્રણના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના ધાનેરામાં કાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત છે. દુકાનોના શેડ તોડીને જીપ પલટી હતી.

Top Stories Gujarat
Dhanera accident બનાસકાંઠાના ધાનેરામાં અકસ્માતમાં ત્રણના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના ધાનેરામાં કાર અકસ્માતની Dhanera Accident ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નિપજ્યાં છે, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત છે. દુકાનોના શેડ તોડીને જીપ પલટી હતી. બીજી બાજુ, કોઈ પીછો કરતું હોવાથી જીપ સ્પીડમાં દોડતી હોવાની ચર્ચા થઇ રહી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતાં આ અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધાનેરા થરાદ હાઇવે પર સવારે ચાર વાગ્યે સ્કોર્પિયો Dhanera Accident કાર પલટી મારી હતી. ગાડી પલટી જતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગસ્ત થયા છે. પુર ઝડપે આવી રહેલ સ્કોરપિયો ગાડીએ 3 દુકાનોના સેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. સ્કોરપિયો ગાડી કોઈ ગાડીનો પીછો કરતી વખતે પલટી હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

ચોરા પરબડીથી ગાડીનો પીછો કરતી વખતે ધાનેરા Dhanera Accident હાઇવે પર ગાડી પલટી મારી ગઇ હતી. જોકે, આ મામલે હકીકત શું છે, તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધાનેરા હાઇવે પર લાગેલા સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતકો પમરું ગામના હોવાનું સામે આવ્યું છે.

 

આ પણ વાંચોઃ DA Hike/ કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદોઃ મોંઘવારી ભથ્થુ વધ્યું

આ પણ વાંચોઃ Pawar-Answer/ પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી

આ પણ વાંચોઃ PM Modi-Drone/ પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ

આ પણ વાંચોઃ Weather Update/  IMDએ ચોમાસાને લઈને આપ્યા સારા સમાચાર, કહ્યું- આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન

આ પણ વાંચોઃ Guru Purnima 2023 Gifts/ ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને આપવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી છે આ Gifts