ગેંગરેપ/ અમદાવાદમાં હેવાનિયત, બે બાળકોની માતાનું અપહરણ કરીને ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ

અમદાવાદના બેહરામપુરામાં એક પરિણીત મહિલાને ડ્રગ્સ આપીને ત્રણ શખ્સોએ ગેંગરેપ કરવાનો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સના વધારે માત્રાના કારણે પરિણીત મહિલાનું મોત થયું ગયું,

Ahmedabad Gujarat
aa 13 અમદાવાદમાં હેવાનિયત, બે બાળકોની માતાનું અપહરણ કરીને ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ

અમદાવાદના બેહરામપુરામાં એક પરિણીત મહિલાને ડ્રગ્સ આપીને ત્રણ શખ્સોએ ગેંગરેપ કરવાનો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સના વધારે માત્રાના કારણે પરિણીત મહિલાનું મોત થયું ગયું, ઘટના બાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ શહેરના બેહરપુરા વિસ્તારમાં પરિણીત દીપુ તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. પતિ અને પત્ની બંને મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. પોલીસે જણાવ્યું કે, 17 એપ્રિલે દીપુ ઘરની બહાર ઉભી હતી. બસ ત્યારે જ બે શખ્સો તેમની પાસે આવ્યા અને તેને કાર અપહરણ કરી લઇ ગયા. પોલીસે જણાવ્યું કે પરિણીત મહિલાને આરોપી રાજુ સોલંકીના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ડ્રગ્સ આપવામાં આવ્યો હતો. પરિણીત મહિલાને નશામાં ધૂત કરી તેના કપડા ઉતાર્યા. આ પછી તેણે એક પછી એક તેની સાથે બળાત્કાર ગુજાર્યો.

આ પણ વાંચો :સ્મશાનગૃહમાં 13 કૂતરાઓના થયા ભેદી મોત, મૃત્યુ અંગે ઘુટાતું રહસ્ય

પોલીસે જણાવ્યું કે આરોપીએ તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીત મહિલાની વેદના છતાં આરોપીએ તેનું મોં બંધ રાખ્યું હતું અને બળાત્કાર ગુજાર્યો હતો. છેવટે, પરિણીત મહિલાનું મોત નીપજ્યું. જે બાદ આરોપી મૃતદેહને નગ્ન છોડીને ભાગી છૂટ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, ઘટનાના બીજા દિવસે રાજુ સોલંકી નામના એક આરોપીને પોલીસની જાણ થઈ. તેણે કબૂલાત કરી છે કે તેણે પરિણીત મહિલા પર અન્ય બે મિત્રો સાથે મળીને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધીને રાજુ સોલંકી, ઇમરાન અને શકીલની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે હાલ ત્રણેય સામે કોરોના માર્ગદર્શિકા હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું અકસ્માતમાં મોત, પરિવારજનોમાં છવાયો માતમ

આ પણ વાંચો :કોરોના વકરતા રાજ્યના આ જીલ્લામાં લગાવાયું લોકડાઉન, જાણો કયા સુધી રહેશે આ પાબંધીઓ ?