- સાબરકાંઠાઃ વક્તાપુર ગામે બે પુત્રોએ કરી પિતાની હત્યા
- નસાની હાલતમાં પિતા ઘરે પહોંચતા બંને પુત્રો વચ્ચે બોલાચાલી
- પુત્રોએ આવેશ આવી કોદાળી જીક્યા ઘા
- ગ્રામ્ય પોલીસે બંને આરોપીની શોધખોળ હાથ ધરી
Himatnagar News: સાબરકાંઠાના વક્તાપુર ગામમાં સામે આવી એક એવી ઘટના સામે આવી કે જે સાંભળી લોકોના હ્દય કાંપી ઉઠ્યા છે જી હા ઘર કંકાસમાં જ સગા પુત્રએ પિતાને કોદાળીના ઘા જીંકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે . ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને પુત્રો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર ગામમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પિતાની પોતાની બે દીકરાઓએ હત્યા કરી દીધી છે. ખરેખરમાં વાત એમ છે કે, વક્તાપુરમાં ઘરમાં દારુ પીને બે દીકરાના પિતા બબાલ અને ધમાલ મચાવી રહ્યાં હતા, જોકે, આ ઝઘડો લાંબો ચાલતા પિતા ગામમાં ભાગી ગયા હતા, બાદમાં બન્ને દીકરાઓએ પોતાના પિતાને ગામમાંથી પકડી લાવીને ઘરમાં માર મારવાનું શરૂ કર્યુ હતુ.
બન્નેએ પોતાના પિતાને લાકડીઓ ફટકારી અને બાદમાં માથાના ભાગે કોદાળીના ઘા ઝીંક્યા હતા. પિતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રો અર્જૂન અને મુકેશ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર
આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત
આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ
આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો
આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા