મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ સામનામાં કહ્યુ છે કે, તેઓ મહારાષ્ટ્રમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) લાગુ કરશે નહીં. શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં ઠાકરેએ કહ્યું હતું કે, ‘સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) નાગરિકત્વ છીનવવા વિશે નથી. તે આપવા માટે છે. હિન્દુ અને મુસ્લિમ બંને માટે નાગરિકત્વ સાબિત કરવું મુશ્કેલ બનશે. અને હું આ થવા નહીં દઉં. ‘
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નાગરિકતા સુધારો કાયદો અને રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર સામે દિલ્હીના શાહીન બાગ સહિત દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે નાગરિકતા સુધારો કાયદો મુસ્લિમોની વિરુદ્ધ છે અને ધર્મના આધારે ભેદભાવ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.